ડીંગુચા ગામનાં મૂળોભા તેમના બાપ દાદાની પેઢીનું Y રંગસૂત્ર લઈ ભટારિયા આવ્યાં અને તેમના બે સંતાનોની બે પેઢીઓના પુરૂષ સંતાનો તે જ Y રંગસૂત્ર ધરાવે છે અને આગળ લઈ જવાના. તેથી કોઈ એક જણને પુત્ર સંતાન ન મળે તો પણ Y રંગસૂત્ર અકબંધ જળવાઈ રહે છે અને તે મુજબ વંશવેલો ચાલ્યા કરે છે.
પ્રશ્ન એ થાય કે જો એક કુટુંબનાં બધાં પુરુષોના Y એક જ હોય તો તેમનાં સ્વભાવ, વ્યવહાર, વર્તંણૂકમાં કેમ કોઈ ફેરફાર જોવા મળતો નથી? કારણકે બધાંના Yના સાથે જોડી બનાવતો માતાનો X જુદો હોય છે. માતા તેના માતા પિતાના XXની બનેલી છે તેથી તે બે ગામનો વારસો લઈ ત્રીજા ગામે આવી હોય છે. તેના માતા પિતા વળી તેમનાં માતા પિતાના X રંગસૂત્રોની મિશ્રિત દોરીને લંબાવીને દીકરીમાં તબદીલ કરેલ હોય છે. તેથી માતા નદીની જેમ X રંગસૂત્રોનું પ્રયાગ બની નવરત્નોની ખાણ બની જાય છે.
શાંત બેઠા હો ત્યારે પુરુષ હો તો, પિતાના ૨૨ X જે તેમના માતા અને પિતા બંનેના છે અને ૨૩મો Y જે પુરુષની અનંત શૃંખલાની કડી છે તેના લક્ષણોને અનુભવવાની કોશિશ કરજો અને તમારામાં રહેલાં તમારા પિતા, દાદા, પરદાદા, પરપરદાદા વગેરેની હાજરીનો અનુભવ કરજો.
જે સ્ત્રી સંતાનો છે, તેમણે પિતાના ૨૩ X જેમાં તેમના દાદા-દાદીના વંશની આખી શૃંખલા સચવાયેલી છે અને માતાના ૨૩ X જેમાં તેમના નાના-નાનીના વંશની આખી શૃંખલા સચવાયેલી છે તેનો અનુભવ કરવાનો પ્રયત્ન કરજો. તેમને એક સાથે માતા, દાદી, નાની, પરદાદી, પરનાની વગેરેની હાજરીનો અનુભવ થશે.
હાજરી એટલે તેમનાં ગુણ અને અવગુણોની હાજરી. આપણે ગુણ વિકાસ કરવાનો અને અવગુણોને દબાવી દેવાનાં જેથી આપણાં પછી આવનારી પેઢીનો ગુણ વિકાસ ચાલ્યા કરે.
માથું ચકરાઈ ગયુ્ં?
ના સમજાય તેણે પ્રશ્ન પૂછવો. પૂછતાં પંડિત ભલા. ના પૂછે તે અજ્ઞાની રહી જાય.
પૂનમચંદ
૪ એપ્રિલ ૨૦૨૫
0 comments:
Post a Comment