મહેસાણા
મધ્યકાલીન ભારતમાં દિલ્હીમાં મુસ્લિમ સુલતાનોનું રાજ હતું. ધૂની સુલતાન મહમૂદ તુઘલક પછી તેનો પિતરાઈ ભાઈ ફિરોઝશાહ તુઘલક (૧૩૫૧–૧૩૮૮) દિલ્હીનો સુલતાન બન્યો. તે સમયે ગુજરાત તેના તાબામાં હતું. તેનો ગુજરાતનો ગવર્નર ઝફરખાન (મલિક મુઝફ્ફર) હતો, જે પાટણથી રાજ ચલાવતો. તેની નીચે જુદા જુદા વિસ્તારોમાં રજપૂત-ક્ષત્રિય રાજાઓનું સ્થાનિક શાસન હતું. તે પૈકી મહેસાણા પ્રદેશના સ્થાનિક રાજા મહેસાજી ચાવડા હતા. તેમણે ઈ.સ. ૧૩૫૮માં (સંવત ૧૪૧૪) મહેસાણાની સ્થાપના કરી.
વખત જતાં અહીંના લોકોમાં શાણપણ એટલું બધું આવી ગયું કે લોકો કહેતા થઈ ગયા કે “મૈં શાણા”. જો કે મેહાણા તો મેહાણા જ રહ્યું. બોલચાલમાં “હું હ”, “ચમ સો”, “હેંડ”, “દીયોર” વગેરે શબ્દો આજે પણ અકબંધ છે.
અમદાવાદ શહેર અહમદશાહ બાદશાહે ઈ.સ. ૧૪૧૧માં વસાવ્યું. પરંતુ તેમાં રહેનારા લોકો એટલા વાદીલા નીકળ્યા કે તેમના વાદને કારણે “અહમદાબાદ”નું “અમદાવાદ” થઈ ગયું!
મારે વળી જબરું થયું. “મારો મામો મેહાણાનો અને હું છું અમદાવાદી”.😜
૧૬ જુલાઈ ૨૦૨૭
0 comments:
Post a Comment